ગુરુવાર, ૮ મે, ૨૦૨૫

સમાચાર

શુક્રવાર, ૨૫ એપ્રિલ, ૨૦૨૫

પશ્ચિમ બંગાળમાં હિન્દુઓની દુર્દશા સામે વિશ્વ હિન્દુ પરિષદનો દેખાવો

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં વક્ફ સુધારા કાયદાના વિરોધમાં મુસ્લિમોના ચાલી રહેલાં હિંસક આંદોલનની આડમાં હિન્દુઓને ટાર્ગેટ બનાવવાનું શરૂ કર્યું છે જેને પગલે હિન્દુઓ આ જિલ્લામાંથી ભાગી રહ્યા છે. આ ઘટના સામે લોકોનું ધ્યાન ખેંચવા અને પશ્ર્ચિમ બંગાળ સરકારનો વિરોધ કરવા વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા તા.19 એપ્રિલ શનિવારે મુલુંડ રેલવે સ્ટેશન ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જેમાં એડ્. હર્ષદભાઈ દેસાઈ તેમજ એડ્. સંતોષ દૂબે, શ્રી હરીશ દ્વિવેદી, વશિષ્ઠ નારાયણ ઝા, મનિષ તિવારી, અસ્મિતા ગોખલે, આર.કે. સિંહ, ચંદ્રેશ ઠક્કર, પ્રવીણ ઝા, મનોજ બોઘા, મહાદેવ પાટીલ, મહાદેવ ગાવડે સહભાગી થયાં હતા.