ગુરુવાર, ૮ મે, ૨૦૨૫

સમાચાર

બુધ્વાર, ૩૦ એપ્રિલ, ૨૦૨૫

મુલુંડમાં પાઘડીની ઇમારતોના પુનર્વિકાસ વિશે માર્ગદર્શન આપતા સેમિનારનું આયોજન થયું

કચ્છી ઍડ્વોકેટ્સ વેલ્ફેર અસોસિએશન (ઊંઅઠઅ) દ્વારા રવિવાર, 27 એપ્રિલના રોજ જીવરાજ ભાણજી હોલ, અશોક નગર, મુલુંડ (વેસ્ટ) ખાતે પાઘડીની ઇમારતોનો પુનર્વિકાસ, ખાસ કરીને એ ઈમારત જે જર્જરિત અથવા જોખમી હાલતમાં છે એ વિશે સંબંધિત લોકોને માર્ગદર્શન આપવા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઍડ્વોકેટ અનિલ ગાલાએ ‘પાઘડીની ઇમારતોના પુનર્નિર્માણ / પુનર્વિકાસ’; ઍડ્વોકેટ પીયૂષ શાહએ ‘હાઉસિંગ સોસાયટી ઇમારતોનો પુનર્વિકાસ’; ઍડ્વોકેટ નીલ ગાલાએ ‘ઇખઈ દ્વારા ખોટી રીતે ખતરનાક જાહેર કરાયેલી ઇમારતોના પુનર્નિર્માણ / પુનર્વિકાસ. મનપા કાયદાની કલમ 353ઇ અને 354 હેઠળ ઇખઈ દ્વારા યોગ્ય રીતે ખતરનાક જાહેર કરાયેલી અને તોડી પાડવામાં આવેલી ઇમારતોના પુનર્નિર્માણ/પુનર્વિકાસ’ તેમ જ ઍડ્વોકેટ જયમ શાહએ ‘મ્હાડા ગઘઈ, કાયમી વૈકલ્પિક રહેઠાણ કરાર, વિકાસ કરાર અને આનુષંગિક દસ્તાવેજો પહેલાં ખઘઞની વાટાઘાટો અને મુસદ્દો તૈયાર કરવો’ વિષયો પર ઉપસ્થિતોને માગદર્શન આપ્યું હતું. ઉપસ્થિતો દ્વારા પૂછાયેલા પ્રશ્ર્નોના જવાબો વિશેષજ્ઞો ઍડ્વોકેટ રાજેશ છેડા, ઍડ્વોકેટ યોગેશ રાજગોર, ઍડ્વોકેટ ચેરિન લાપશિયા તથા ઍડ્વોકેટ વિનોદ શાહએ આપ્યા હતા. સેમિનાર દરમ્યાન સર્વ માર્ગદર્શન ગુજરાતી અને હિન્દીમાં આપવામાં આવ્યું હતું. સેમિનાર સવારે 10 વાગ્યે ચા-કોફી બાદ 10.30 વાગ્યે શરૂ થયું હતું. આ માહિતીપ્રદ સેમિનારમાં મુખ્ય મહેમાન તરીકે હીરાલાલ મૃગ, નીતિન પાંધી અને બ્રહ્માકુમારી ગોદાવરી દીદી, પ્રકાશ ગંગાધરે ઉપસ્થિત હતા.
આ સમગ્ર સેમિનારના સ્પોન્સર હતા ઍડ. અનિલ ગાલા અને આયોજક હતા ઍડ. રેખા મહેતા.