
શ્રી બાપા જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાહતના દરે નોટબુકનું વિતરણ સંપન્ન
દર વર્ષની જેમ વર્ષે પણ વિદ્યાર્થી માટે રાહતના દરે નોટબુકનું વિતરણ શ્રી બાપા જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ મુલુંડ દ્વારા જલારામ મંદિર પડવલ નગર, ચેકનાકા, થાણા ખાતે કરવામાં આવેલ.
જેમાં A/4 નોટબુક એક ડઝનના રૂપિયા 300/- (140 પેજ) અને લોંગનોટબુક એક ડઝનના રૂપિયા 200/- (140 પેજ). ભાવ રાખવામાં આવેલ. નોટબુકનું વિતરણ શનિવાર તા. 31 મે અને રવિવાર તા. 1 જૂન 2025 તેમજ શનિવાર તા. 7 જૂન અને રવિવાર તા. 8 જૂન તથા શનિવાર તા. 14 જૂન અને રવિવાર તા. 15 જૂનના કરેલ. છ દિવસમાં અ/4 નોટબુક 2542 ડઝન અને લોંગ નોટબુક 1500 ડઝન મળી ટોટલ 4042 ડઝન નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું...





